કાઠમાંડૂઃ નેપાળના લોકો પાંચ દિવસીય દિવાળી સમારોહના ભાગરૂપે 'કુકુર તિહાર' ઉજવે છે. આ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, જેમાં શ્વાનની પૂજા કરવામાં આવે છે અને લોકો તેને ભોજન આપે છે. આ દરમિયાન તેનું ફૂલનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવે છે. આ તહેવાર મનુષ્યો અને શ્વાન વચ્ચેના સંબંધો પર કેન્દ્રીત છે. નેપાળમાં કુકુત તિહાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. પાંચ દિવસીય તહેવાર મૂળઃ મનુષ્ય અને જીવ વચ્ચે સંબંધિત પારિભાષિત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસે હોય છે 'કાગ તિહાર'નો તહેવાર
નેપાળી પરંપરાઓ પ્રમાણે પાંચ દિવસીય તહેવારના પ્રથમ દિવસે 'કાગ તિહાર' અને બીજા દિવસે 'કુકુર તિહાર' ઉજવવામાં આવે છે. કુકુર તિહાર દિવાળીના બીજા દિવસે મનાવવામાં આવે છે. કાગ તિહારમાં કાગડાઓની પૂજા કરવામાં આવે છે. કાગ તિહારને નેપાળમાં દુખ અને નિરાશાનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં લોકો ઘરોની સામે પકવાન અને મિઠાઈઓ રાખી દે છે, જેથી કાગડાઓ તેને ખાઇને આશીર્વાદ આપે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube