ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદની સાથે આવેલા પવને ગુરૂદ્વારા કરતારપુર સાહિબમાં ઘણી તબાહી મચાવી છે. જાણકારી પ્રમાણે ગુરૂદ્વારાના ગુબંજોને ઘણું નુકસાન થયું અને તૂટીને પડી ગયા છે. હવે આરોપ લાગી રહ્યો છે કે ગુબંજોના પુનિર્માણમાં સીમેન્ટ અને લોઢાની જગ્યાએ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાને કારણે કરતારપુર કોરિડોર અને ગુરૂદ્વારાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. આ મામલા પર પાકિસ્તાનની ઇમરાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, મામલાને ધાર્મિક વિભાગના મંત્રી નૂર ઉલ હક કાદરી સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સંમગ્ર ઘટનાક્રમની તાત્કાલીક તપાસ કરાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...