વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમેરિકા પર હુમલો કર્યો તો અમે એટલો કઠોર જવાબ આપીશું કે તેમણે પહેલા ક્યારેય તે ઝેલ્યું નહીં હોય. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે "તેમણે (ઈરાન) અમારા પર હુમલો કર્યો, અમે જવાબ આપ્યો. જો તેઓ ફરીથી હુમલો કરશે  (જેની હુ સલાહ નહીં આપું) તો અમે તેમને એટલો કઠોર જવાબ આપીશું જે તેમણે ક્યારેય ઝેલ્યું નહીં હોય."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાને યુદ્ધની કરી દીધી જાહેરાત!, મસ્જિદ પર લાલ ઝંડો જોઈને દુનિયા થથરી ગઈ


પોતાની અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે અમેરિકાએ સૈન્ય ઉપકરણો માત્ર પર બે ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યા છે. અમે દુનિયામાં સૌથી મોટા અને ઉત્તમ છીએ. જો ઈરાન કોઈ પણ અમેરિકી બેસ કે પછી અમેરિકી પર હુમલો કરશે તો અમે નવા સુંદર ઉપકરણોનો ઉપયોગ કરીશું... કોઈ પણ ખચકાટ વગર!


US ઠેકાણાઓ પર રોકેટ હુમલાથી ટ્રમ્પ લાલઘૂમ, ઈરાનને ધમકી આપતા કહ્યું- જવાબ વિધ્વંસક હશે


કોમ સ્થિત જામકરન મસ્જિદના ડોમ પર સામાન્ય રીતે ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવે છે. આવામાં ધાર્મિક ઝંડો હટાવીને લાલ ઝંડો ફરકાવવાનો અર્થ યુદ્ધની જાહેરાત તરીકે લેવામાં આવી રહ્યો છે. કારણ કે લાલ ઝંડાનો અર્થ દુ:ખ જતાવવાનો થતો નથી. સ્પષ્ટ છે કે ઈરાન પોતાના દેશવાસીઓને એવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહી રહ્યું છે જે તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. જો કે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ વખતે પણ લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો નહતો. હકીકતમાં હુસૈન સાહેબે કરબલા યુદ્ધ વખતે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો હતો. લાલ ઝંડો લોહી અને શહાદતનું પ્રતિક મનાય છે. હાલની સ્થિતિમાં તેનો ઉપયોગ સુલેમાનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા જઈ રહ્યું છે તેમ જોવામાં આવી રહ્યું છે. જામકારન મસ્જિદ ઈરાનની સૌથી પવિત્ર મસ્જિદ ગણાય છે અને અહીંના યુવાઓ ઉપર પણ તેનો ઘણો પ્રભાવ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube