કાહિરા: ઈજિપ્તની સુએઝ નહેરમાં ફસાયેલા વિશાળકાય જહાજ એવર ગિવનને ભલે બહાર કાઢવામાં સફળતા મળી હોય પરંતુ હજુ તેને ઈજિપ્ત છોડવાની મંજૂરી મળી નથી. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે જ્યાં સુધી જહાજનો માલિક વળતર તરીકે એક અબજ ડોલરની ચૂકવણી ન કરે ત્યાં સુધી જહાજને છોડવામાં આવશે નહીં. પ્રશાસનનું કહેવું છે કે લગભગ એક અઠવાડિયા સુધી જહાજ નહેરમાં ફસાયેલું રહ્યું હતું. જેના કારણે અનેક પ્રકારની પરેશાની વેઠવી પડી. આથી જહાજના માલિક વળતર ચૂકવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'માત્ર કોસ્ટ માંગી રહ્યા છીએ'
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ સુએઝ કેનાલ ઓથોરિટીનું નેતૃત્વ કરનારા લેફ્ટેનન્ટ જનરલ ઓસામા રેબીએ કહ્યું કે જ્યાં સુધી મામલે તપાસ પૂરી ન થાય અને જહાજ એવર ગિવનની કંપની વળતર આપવા પર સહમત ન થાય ત્યાં સુધી જહાજ અહીં જ રહેશે. તેમણે કહ્યું કે જેવી કંપની વળતર ચૂકવવા માટે તૈયાર થાય જહાજને છોડી દેવાશે. રેબીએ કહ્યું કે એવર ગિવનને કાઢવામાં જે ખર્ચો થયો છે તેની જ માગણી સંબંધિત કંપની પાસે કરવામાં આવી રહી છે. 


ભારે ટ્રાફિક જામ થયો હતો
રેબીએ કહ્યું કે 2 લાખ ટનના જહાજને કાઢવામાં ખુબ ખર્ચો થયો છે. આ માટે મોટી મશીનોનો ઉપયોગ થયો. 800ની આસપાસ લોકો કામે લાગ્યા. આ ઉપરાંત નહેરને પણ નુકસાન પહોંચ્યું. જેના માટે એક બિલિયન ડોલરની રકમ વધુ નથી. તેમણે કહ્યું કે દુનિયાના સૌથી વ્યસ્ત વેપારી માર્ગ સુએઝ નહેરમાં આ વિશાળ માલવાહક જહાજ એવર ગિવન ફસાઈ જવાથી બંને બાજુ જામ લાગી ગયો હતો અને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. જેની ભરપાઈ જહાજની કંપનીએ કરવી પડશે. 


ઈજિપ્તને થયું આટલું નુકસાન
લંડન સ્થિત નાણાકીય ફર્મ રેવેનિટિવના જણાવ્યાં મુજબ જહાજ ફસાઈ જવાના કારણે ઈજિપ્તને 95 ડોલર મિલિયનની ટ્રાન્ઝિટ ફીસનું નુકસાન સહન કરવું પડ્યું છે. જો કે હજુ પણ એ નક્કી નથી કે ઈજિપ્તની આ માગણી કોણ પૂરી કરશે. એવર ગિવનના જાપાની માલિક શૂઈ કિસન કાશા લિમિટેડનું કહેવું છે કે તેમને આ અંગે ઈજિપ્તના અધિકારીઓ પાસેથી કોઈ જાણકારી મળી નથી. જ્યારે એવરગ્રીન મરીન કોર્પના અધ્યક્ષ એવર ગિવનના ચાર્ટર એરિક હેશહએ કહ્યું કે કંપની કાર્ગોમાં વિલંબની જવાબદારીથી મુક્ત છે. કારણ કે તે વિમા દ્વારા કવર થવાનો છે. 


કાઢવામાં 6 દિવસ ગયા
23 માર્ચે 1300 ફૂટનું એવર ગિવન એ વખતે અચાનક ચર્ચામાં આવી ગયું હતું જ્યારે તેના નહેરમાં ફસાઈ જવાના કારણે બંને બાજુ જબરદસ્ત ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચાલક દળે જણાવ્યું હતું કે સુએઝ નહેરને પાર કરતી વખતે હવાના જોરદાર બવંડરના કારણે શિપ ઘૂમી ગયું. ત્યારબાદ જ્યારે શિપને સીધું કરવાનો પ્રયત્ન કરાયો તો જહાજ વાંકુ થઈને નહેરમાં ફસાઈ ગયું. લગભગ 6 દિવસની જદ્દો જહેમત બાદ જહાજ કાઢવામાં સફળતા મળી હતી. ઈજિપ્તે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓ એ પણ જાણકારી મેળવી રહ્યા છે કે આખરે જહાજ નહેરમાં ફસાઈ કેવી રીતે ગયું


પ્રશાસને એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કાર્ગો અને 25 ભારતીય ચાલક દળ સભ્યો ઈજિપ્તની ગ્રેટ બિટર ઝીલના એંકર પર જ રહેશે. આ મહિનાની શરૂઆતમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજના ચાલક દળ સુરક્ષિત છે અને તેને વળતર મળતું રહેશે. જહાજ નીકળ્યા બાદ ચાલક દળને આશા હતી કે હવે તેઓ ઘરે પહોંચી શકશે પરંતુ હાલ તો એવું જોવા મળી રહ્યું નથી. 


 


PHOTOS: કોરોના મહામારીમાં એક વિશાળકાય જહાજે કેવી રીતે આખી દુનિયાના શ્વાસ કર્યા અદ્ધર, તસવીરોમાં જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News