Pakistan: પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા 30-40 આતંકવાદીઓને પોલીસને સોંપવાનો આદેશ આપ્યો છે. આદેશમાં સરકારે પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે. પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું કે, જો પીટીઆઈ આ આતંકવાદીઓને હેન્ડઓવર નહીં કરે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર


આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. ઇમરાનના ઘરની બહાર પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈમરાન ખાનના ઘરે કાર્યવાહી થઈ શકે છે. આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. 


9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


મીરે વધુમાં કહ્યું કે સરકારને આ બાબતોની માહિતી વિશ્વસનીય ગુપ્તચર તંત્ર પાસેથી મળી છે. મીરે કહ્યું છે કે જે ઈન્ટેલિજન્સ રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે, એજન્સીઓએ જીઓ-ફેન્સિંગ દ્વારા જમાન પાર્કના મકાનમાં આતંકવાદીઓની હાજરીની જાણ કરી છે. પીટીઆઈ પર કટાક્ષ કરતા મીરે તેને દેશ માટે ખતરો ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીટીઆઈ ચીફ ઈમરાન ખાન લાંબા સમયથી સતત સેનાને નિશાન બનાવી રહ્યા છે.


Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!


પીટીઆઈ પર મોટો આરોપ લગાવતા મીરે એમ પણ કહ્યું છે કે ઈમરાન ખાને ધરપકડ પહેલાં જ હુમલાની યોજના બનાવી હતી. વચગાળાના માહિતી પ્રધાને કહ્યું છે કે 9 મેના રોજ સેનાના સ્થળો પર હુમલો પૂર્વયોજિત હતો. તેમણે કહ્યું કે સરકારે આવી ઘટનાઓ પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. દરમિયાન, વચગાળાના મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ પંજાબ પોલીસને આગચંપી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્રી હેન્ડ આપી દીધો છે.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube