નવી દિલ્હી: ભારતે મંગળવારના પાકિસ્તાન (Pakistan)થી અહીં તેના હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા આગમી સાત દિવસની અંદર 50 ટકા ઘટાડવા કહ્યું છે. આ સાથે જ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશને પણ સમાન પ્રમાણમાં તેના કર્મચારીઓમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવીને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે.


આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે ભારતને મળ્યો રશિયાનો સાથ, UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન


મંત્રાલયે કહ્યું કે આ નિર્ણયનું કારણ પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીઓની જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી અને આતંકવાદી સંગઠનો સાથે તેમનો જોડાણ છે.


વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઇસ્લામાબાદમાં તાજેતરમાં બે ભારતીય અધિકારીઓના અપહરણ અને તેમની સાથે કરવામાં આવેલા "બર્બર વર્તન"નો પણ ઉલ્લેખ કર્યો છે.


આ પણ વાંચો:- Zee Digital Exclusive: ચીનનું વધુ એક નિષ્ફળ ષડયંત્ર, 7 દિવસમાં 40,000 વખત કર્યા સાયબર હુમલા


મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને તેના અધિકારીઓનું વર્તન વિયના સંધિ અને રાજદ્વારી અધિકારીઓ તેમજ દૂતાવાસ અધિકારીઓ સાથેના વ્યવહાર અંગેના દ્વિપક્ષીય કરાર સાથે સુસંગત નથી. તેનાથી ઉલટું, તે સરહદ પાર (ભારતમાં) હિંસા અને આતંકવાદને સમર્થન આપતી મોટી નીતિનો સ્વાભાવિક ભાગ છે. "


આ પણ વાંચો:- ભારતની વધુ એક મોટી જીત! ચીનની સાથે ભારે તણાવ વચ્ચે મળ્યો અમેરિકાનો સાથ


મંત્રાલયે કહ્યું કે, તેથી ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.


મંત્રાલયે કહ્યું, આ (ભારત) તેના બદલે ઇસ્લામાબાદમાં સમાન પ્રમાણમાં તેની હાજરી ઘટાડશે. આ નિર્ણયથી જે સાત દિવસમાં લાગુ કરવામાં આવશે, પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનરને પહોંચાડવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube