નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે હિંસાને ભડકાવવી જોઈએ નહીં. મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમને સામનેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. વાર્તા બાદ એક જોઈન્ટ પ્રેસ સ્ટેટમેન્ટમાં રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જમ્મુ અને કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા હાલના નિર્ણયથી માહિતગાર કર્યાં અને એ પણ જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે ભારતની સંપ્રભુતા સંલગ્ન છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...