પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત અતુલ એમ ગોતસર્વેનો તાનાશાહ કિમ જોંગ ઉનને શુભેચ્છા સંદેશ આપવો ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય રાજદૂતના સંદેશને ન માત્ર ઉત્તર કરિયાના સરકારી અખબારમાં જગ્યા આપવામાં આવી પરંતુ ટીવી પર પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું કે, દુનિયાથી અલગ કોરિયામાં આવુ ખુબ ઓછુ થાય છે કે કોઈ વિદેશી રાજદ્વારીના સંદેશને આટલું મહત્વ આપવામાં આવ્યું હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાના સરાકરી ટીવી ચેનલ નેશનલ ટેલીવિઝન ઓફ નોર્થ કોરિયા પર પ્રાઇમ ટાઇમમાં ન માત્ર ભારતનો ઉલ્લેખ થયો પરંતુ ભારતીય રાજદૂતના સંદેશને વાંચવામાં આવ્યો હતો. ભારતીય રાજદૂત અતુલ એમ ગોતસર્વેએ કિમ જોંગ ઉનને માર્શ બનાવવાના 8 વર્ષ પૂરા થવા પર તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. સાથે ફૂલોનું બુકે મોકલ્યું હતું. તેના પર કિંમ જોંગ ઉનના સ્વસ્થ રહેવાની કામના કરવામાં આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube