અબૂ ધાબી: એક યુવા ભારતીય નાવિક દુબઇ તટ પર ઉભેલા એક જાહાજથી ગુમ થઇ ગયો છે. મંગળવારે મીડિયામાં આવેલી એક રિપોર્ટ અનુસાર 9 માર્ચથી ગુમ છે. ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: માતાના ગર્ભમાં જ ટ્વિન્સ બાળકીઓએ કર્યું કંઇક આવું, જાણી તમે પણ ચોંકી જશો


સમાચારો અનુસાર 9 માર્ચે રાવના મિત્ર દિલીપ કુમારે આંધ્ર પ્રદેશમાં તેના ઘર પર ફોન કરી સૂચના આપી હતી કે રાવ જહાજથી ગુમ છે. કુમાર, રાવની સાથે એક જ જહાજ પર કામ કરે છે. ગલ્ફ ન્યૂઝએ આ સમાચાર દુબઇની એક કંપનીમાં સ્વાસ્થ્ય સુરક્ષા પ્રબંધક તરીકે કામ કરતા ડી.રામૂના અહેવારથી આપ્યા છે. રામૂ તેમની કંપનીમાં કામ કરે છે જ્યાં રાવના પિતા શ્રીનિવાસ એક વેલ્ડર તરીકે કાર્યરત છે.


વધુમાં વાંચો: તોફાનનું તાંડવ: પાડોસી દેશમાં પત્તાની જેમ ઉડી મકાનની છત, 39 લોકોના મોત


રામૂએ જણાવ્યું કે, આ સંબંધમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. ત્યારે દુબઇમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પણ આ મામલે સ્થાનીક સત્તાધિકારીઓ સાથે સંપર્કમાં છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...