દુશાંબે (તઝાકિસ્તાન): અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રવિવારે કહ્યું કે તેમણે 'રક્તપાત'થી બચવા માટે દેશ છોડ્યો કારણ કે કાબુલ તાલિબાનના હાથમાં જતું રહ્યું છે. આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા છે. અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં અશરફ ગનીએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે હવેથી તાલિબાન અફઘાનિસ્તાનના લોકોના 'સન્માન, ધન, અને સંરક્ષણ' માટે જવાબદાર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશરફ ગનીએ કહ્યું કે તેમણે 'સશસ્ત્ર તાલિબાન' અને પ્રિય દેશને છોડીને જવાની, જેની પાછળ છેલ્લા 20 વર્ષો સુધી રક્ષા માટે મારું જીવન સમર્પિત કર્યું તે વચ્ચે 'કપરા વિકલ્પ'નો સામનો કરવો પડ્યો. 


તેમણે કહ્યું કે આતંકવાદી સમૂહ તલવાર અને બંદૂકના દમ પર જીતી ગયા પરંતુ તેઓ અફઘાનિસ્તાનના લોકોના હ્રદય જીતી શક્યા નહીં. તેમણે કહ્યું કે "જો અનિયંત્રિત છોડવામાં આવશે તો અગણિત દેશભક્ત શહીદ થઈ જશે અને કાબુલ શહેર તબાહ થઈ જશે, જેના પરિણામ સ્વરૂપે છ મિલિયનની વસ્તીવાળા શહેરમાં એક મોટી માનવીય તબાહી થશે."


Afghanistan: તાલિબાને સરકાર બનાવવાની જાહેરાત કરી, દુનિયાભરના દેશો થયા Alert


સમાચાર એજન્સી એએનઆઈએ ખબર આપી કે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડવાની સાથે અને તાલિબાનના રાજધાનીમાં પ્રવેશ સાથે અફઘાનિસ્તાનની સરકાર પહેલેથી પડી ગઈ. આ અગાઉ અફઘાનિસ્તાનના સુપ્રીમ નેશનલ સુલહ પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાએ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયો સંદેશમાં ગનીને અફઘાનિસ્તાનના 'પૂર્વ રાષ્ટ્રપતિ' તરીકે સંબોધન કર્યું. અબ્દુલ્લાએ અફઘાનોને શાંત રહેવાનું પણ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આશા છે કે આ કપરા દિવસ અને રાત જલદી વીતી જશે અને લોકો શાંતિપૂર્ણ દિવસો જોશે. 



સૂત્રોના જણાવ્યાં મુજબ આ અગાઉ અફઘાન પ્રેસિડેન્શિયલ પેલેસ એઆરજીમાં તાલિબાનને સત્તા હસ્તાંતરિત કરવા માટે અલી અહેમદ જલાલી સાથે નવી વચગાળાની સરકારના પ્રમુખ તરીકે રવિવારે વાતચીત થઈ. 


તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર નિયંત્રણ મેળવી લીધુ છે અને દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીના તઝાકિસ્તાન ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો જમાવી લીધો છે. રિપોર્ટ્સથી જાણવા મળે છે કે મૂવમેન્ટ જલદી અફઘાનિસ્તાનને ઈસ્લામી અમીરાતની પુર્ન સ્થાપનાની જાહેરાત કરશે. 


UK: કપલની સેલ્ફીમાં કેદ થયું 'મોત', ધ્યાનથી જુઓ આ Photo, જેણે જોયો તેને પરસેવો છૂટી ગયો


સત્તા હસ્તાંતરણ માટે કમિટી બનાવવામાં આવી
અફઘાન નેતાઓએ તાલિબાન સાથે મુલાકાત કરવા અને સત્તા હસ્તાંતરણની વ્યવસ્થા માટે એક સમનવય પરિષદની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ સોશયિલ મીડિયા પર પોસ્ટ  કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે પરિષદનું નેતૃત્વ હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રીકન્સીલિએશનના પ્રમુખ અબ્દુલ્લા, હિઝ્બ એ ઈસ્લામીના પ્રમુખ ગુલબુદીન હિકમતયાર અને તેઓ પોતે કરશે. નિવેદનમાં કહેવાયું છે કે આ નિર્ણય અરાજકતાને રોકવા માટે, લોકોની સમસ્યાઓને ઓછી કરવા તથા શાંતિપૂર્વક સત્તા હસ્તાંતરણ માટે કરવામાં આવ્યો છે.