Britain : બ્રિટનની સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની છે. સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવાની યોજના બનાવી છે. એક રિપોર્ટ પ્રમાણે આ જોગવાઈ લાગૂ થતાં દર વર્ષે આશરે 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ રૂટથી વિઝા એન્ટ્રી મળી શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે દર વર્ષે 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને તેના દ્વારા એન્ટ્રી મળે છે. તો આ ઘટાડા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2025 ની ચૂંટણીનો મહત્વનો મુદ્દો
2021માં શરૂ થયેલ ગ્રેજ્યુએશન વિઝા રૂટથી ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી પૂરી થવાના બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને નોકરી કરવાની મંજૂરી મળે છે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે યુકેમાં જાન્યુઆરી 2025માં યોજાનાર ચૂંટણીમાં આ એક મહત્વનો મુદ્દો છે. 


25 લાખ ભારતીય નારાજ
સરકારના આ પ્લાનિંગ બાદથી વિપક્ષની લેબર પાર્ટીના અધ્યક્ષ કીથ સ્ટેમરનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય ચૂંટણી વર્ષમાં ભારે પડવાનો છે. તેનાથી બ્રિટનમાં રહેતા 25 લાખ મતદાતા નારાજ છે. વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન વિઝા મળ્યા બાદ તેનો ઈમિગ્રેશનનો દાવો મજબૂત થાય છે, કારણ કે અભ્યાસના બે વર્ષ સુધી સ્ટેની છૂટ મળવાથી આ વિદ્યાર્થીઓને સ્કિલ્ડ વર્કરની કેટેગરી મળી જાય છે.


આ પણ વાંચોઃ ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં


ભારતીય વિદ્યાર્થીઓમાં લગભગ 80 ટકા ત્યાં મેડિકલ, એન્જિનિયરિંગ અને લોનો અભ્યાસ કરવા માટે જાય છે. અભ્યાસ બાદ તેને એક્સટેન્ડેડ સ્ટે દરમિયાન સ્કિલ્ડ વર્કરનો પગાર મળે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીનું કહેવું છે કે આ વિઝાનો ઉપયોગ વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન મેળવવા માટે કરે છે.


ઇકોનોમી પર પડશે તેની અસર
નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા 6 લાખ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી હતી. તેના પર પૂર્વ શિક્ષણ મંત્રી નિક્કી મોર્ગનનું કહેવું છે કે દર દર વર્ષે ફીના 2 લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થશે. ઇકોનોમી પર પણ તેની અસર પડશે. સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ચાન્સલર સૈલી મેપસ્ટોનનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ એન્જિનિયરિંગની નોકરીમાં પોતાનું યોગદાન આપે છે. 2021માં બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 87045 હતી, જે 2022માં વધી 139700 થઈ ગઈ હતી. 2023માં 130000 વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા.


શું છે ગ્રેજ્યુએટ રૂટ વિઝા?
ગ્રેજ્યુએટ રૂટ વિઝા દ્વારા બ્રિટનથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરુ કરનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાં કામ કરવા, રહેવા કે કામની શોધ કરવા માટે અરજી કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરી શકે છે, જ્યારે પીએચડી કરનાર વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી રહેવાની અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ રૂટ વિઝાને જુલાઈ 2021માં ગૃહમંત્રી પ્રીતિ પટેલે લાગૂ કર્યાં હતા. 176,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જારી થનાર ગ્રેજ્યુએટ રૂટ વિઝામાં 42 ટકા ભારતીય નાગરિક છે. આ શ્રેણીમાં કોઈપણ પ્રકારના ફેરફારની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.