ગ્લાસગોઃ PM Modi at an event of COP26: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મંગળવારે ગ્લાસગોમાં COP26 ના એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ આ દરમિયાન દુનિયાને 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ'નો સંદેશ આપ્યો છે. એક્સલરેટિંગ ક્લીન ટેક્નોલોજી ઇનોવેશન એન્ડ ડેવલોપમેન્ટ પર આયોજીત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ, 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ ન માત્ર ભંડારણની જરૂરીયાતોને ઓછી કરશે પરંતુ સૌર પરિયોજનાઓની વ્યવહારિતાને પણ વધારશે. આ રચનાત્મક પહેલ ન માત્ર કાર્બન ફુટપ્રિન્ટ્સ અને ઉર્જાના ખર્ચને ઓછો કરશે પરંતુ ઘણા દેશો અને ક્ષેત્રો વચ્ચે સહયોગ માટે એક નવો માર્ગ ખોલશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે અશ્મિભૂત ઇંધણના ઉપયોગથી કેટલાક દેશો સમૃદ્ધ થયા પરંતુ તેનાથી પૃથ્વી અને પર્યાવરણ ખરાબ થયું. અશ્મિભૂત ઇંધણ માટેની સ્પર્ધાએ ભૌગોલિક રાજકીય તણાવ પણ સર્જ્યો હતો. તેમણે કહ્યું કે સૌર ઊર્જા સંપૂર્ણપણે સ્વચ્છ અને ટકાઉ છે. પડકાર એ છે કે આ ઉર્જા માત્ર દિવસ દરમિયાન જ મળે છે અને તે મોસમ પર આધાર રાખે છે. 'એક સૂર્ય, એક વિશ્વ અને એક ગ્રીડ' આ સમસ્યાનો ઉકેલ છે. વિશ્વવ્યાપી ગ્રીડ દ્વારા, સ્વચ્છ ઉર્જા ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રસારિત કરી શકાય છે.


મોદી જી! ઇઝરાયલમાં તમે સૌથી લોકપ્રિય, અમારી પાર્ટીમાં આવો, PM બેનેટે આપી ઓફર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube