નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. જ્યારે 24 લોકો લાપત્તા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે મૂસળધાર વરસાદના કારણે સપ્તકોશી નદીના પાણીનું વહેણ પણ વધી ગયું છે. કોશી બરાજ પર તહેનાત પોલીસ કર્મીઓના જણાવ્યાં મુજબ શનિવારે સાંજે સપ્તકોશી નદીમાં પાણીનું વહેણ 3 લાખ 7 હજાર 655 ક્યૂસેક મપાયું હતું. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...