કાઠમંડૂ: નેપાળ (Nepal) સરકારના વિવાદિત બંધારણીય સંશોધનનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરી (Sarita Giri) ના ઘર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ તોડફોડ કરતા તેમને દેશ છોડવાની પણ ચેતવણી આપી છે. મળતી માહિતી મુજબ સાંસદે આ અંગે પોલીસને સૂચના આપી હતી પરંતુ કોઈ પણ તેમની મદદે પહોંચ્યું નહીં. એટલે સુધી કે તેમની પાર્ટીએ પણ તેમનાથી અંતર જાળવ્યું છે. હુમલા અંગે સરિતા ગિરીએ ટ્વીટ કરીને જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે નેપાળ વિવાદિત નક્શાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે બંધારણમાં સંશોધન કરી રહ્યું છે. જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા તેમના પક્ષમાં નથી. તેમણે આ પ્રસ્તાવને ફગાવવાની માગણી કરી છે. જેના કારણે પાર્ટી પણ તેમનાથી નારાજ જોવા મળી રહી છે. નેપાળની સંસદમાં બંધારણમાં સંશોધન પ્રસ્તાવ પર પોતાનો મત વ્યક્ત કરવા માટે સાંસદોને 72 કલાકનો સમય મળ્યો છે. સાંસદ સરિતા ગિરીનું કહેવું છે કે આ સંશોધન પ્રસ્તાવને ફગાવવો જોઈએ કારણ કે નેપાળ સરકાર પાસે પૂરતા પુરાવા નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube