કાઠમંડુઃ નેપાળની સંસદમાં વિવાદિત નક્શામાં સંશોધનનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. નવા નક્શામાં ભારતના ત્રણ ભાગ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને સામેલ કરવામાં આવ્યા છે. 275 સભ્યો વાળી નેપાળી સંસદમાં આ વિવાદિત બિલના સમર્થનમાં 258 મત પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ભારત અને નેપાળમાં સરહદ વિવાદને કારણે સંબંધ તણાવપૂર્ણ ચાલી રહ્યો છે. 8 મેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લિપુલેખથી ધારાચૂલા સુધી બનાવેલા માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ નેપાળે લિપુલેખને પોતાનો ભાગ ગણાવતા વિરોધ કર્યો હતો. 18 મેએ નેપાળનો નવો નક્શો જારી કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના ત્રણ વિસ્તાર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. 


નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસોધન મંત્રાલયે નેપાળના આ સંશોધિત નક્શાને જારી કર્યો હતો. બેઠકમાં હાજર કેબિનેટ સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર