Pakistan Airstrikes In Afghanistan: પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના 47 થી વધારે નાગરિકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પાકિસ્તાની સેનાએ આ હુમલો પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનમાં બે આતંકવાદી હુમલા બાદ કર્યો છે. આ મામલે પાકિસ્તાની સેનાના 8 જવાન માર્યા ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનમાં સ્થાનિક અધિકારીઓએ પુષ્ટી કરી કે પાકિસ્તાની વિમાનોએ શુક્રવારની રાત્રે ખોસ્ત પ્રાંત પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 47 લોકોના મોત થયા છે.


Jahangirpuri Violence: માત્ર મુસ્લિમોની ધરપકડ કેમ? ઓવૈસીએ ઉઠાવ્યો સવાલ


તાલિબાની સરકારે વ્યક્ત કરી નારાજગી
અફઘાનિસ્તાનમાં થયેલા આ હુમલા બાદ ત્યાની સત્તા શાસક તાલિબાની સરકારે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તાલિબાની સરકારે પાકિસ્તાનના રાજદૂત મંસૂર અહમદ ખાનને બોલાવી ભવિષ્યમાં આવી કોઈ કાર્યવાહી નહીં કરવાની ચેતવણી આપી છે. ત્યારે આ હુમલા બાદ પાકિસ્તાન તહરીક-એ-તાલિબાને એક નિવેદન જાહેર કરી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરી છે. સંગઠને કહ્યું કે, બોમ્બથી તે પ્રવાસી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાંથી ભાગી ગયા હતા.


Jahangirpuri Violence LIVE: અંસાર-અસલમને હતી શોભાયાત્રાની જાણકારી, રચ્યું હિંસાનું ષડયંત્ર


પાકિસ્તાન મીડિયાએ શું કહ્યું?
આ મામલે પાકિસ્તાન મીડિયાએ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવ્યા. ટીટીપી એક ઉગ્રવાદી સંગઠન છે જે પાકિસ્તાની તાલિબાનના આશ્રય હેઠળ કામ કરે છે. ટીટીપીએ એક નિવેદન જાહેર કરી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરી છે. જૂથે જણાવ્યું હતું કે, બોમ્બથી તે પ્રવાસી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા છે જે પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાંથી બાગી ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube