પેશાવર: મહાત્મા બુદ્ધ (Mahatma Buddha) ની એક દુર્લભ પ્રતિમાને નુકશાન પહોંચવા મામલે પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે શનિવારે આ લોકોને દબોચ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે મર્દાન જિલ્લાના તખ્તબઈ તહસીલમાં એક ખેતરમાં ખોદકામ દરમિયાન મળેલી આ પ્રતિમાને એક સ્થાનિક મૌલવીના આદેશ પર નષ્ટ કરી દેવાઈ. પોલીસે જણાવ્યું કે આ મામલે ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઈ છે અને તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube