ઈસ્લામાબાદ :આઈએસપીઆર પ્રમુખ મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના માધ્યમથી પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં જનારા ભારતીયો શીખ તીર્થ યાત્રીઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) 1 નવેમ્બરના રોજ ટ્વિટર પર કરતારપુર કોરિડોર કામગીરી પૂરી થવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે આવનારા લોકોને પોતાની સાથે ઓળખ પત્ર તરીકે પોસપોર્સ લાવવા અને પૂર્વ રજિસ્ટ્રેશનમાં છૂટ આપવાની વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

maha cyclone અપડેટ : વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉમેજ-પાતાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો


રાજકોટમાં સાંજે ભારત-બાંગ્લાદેશની મેચ, વરસાદી પાણી બાદ પીચને સૂકાવાઈ


CM રૂપાણી માટે 191 કરોડનું નવુ વિમાન ખરીદાયું, અંદર હશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓ...


આ વર્ષે 12 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની 550મી જયંતીને યાદગાર બનાવવાને લઈને આ કોરિડોરની સ્થાપના કરવામાં આવી છે. તો પાકિસ્તાને સરકારે ભારતીય તીર્થ યાત્રીઓને ગુરુનાનક દેવની જયંતીના અવસર પર કોરિડોરમાં પ્રવેશ કરવા માટે 20 ડોલરના પ્રવેશ ફીમાંથી પણ રાહત આપી છે. પાકિસ્તાનનું માનવુ છે કે, તેને કરતારપુરના મુસાફરો પાસેથી વાર્ષિક 3 કરોડ 65 લાખ ડોલરની આવક થશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube