ઝી ન્યૂઝ/નવી દિલ્હી: આર્થિક અને રાજકીય રીતે બરબાદ થઈ ગયેલું પાકિસ્તાન હવે સામાજિક રીતે પણ પતનના આરે છે. સ્થિતિ એ છે કે અહીં કબ્રસ્તાનોમાં દફનાવેલા યુવતીઓના મૃતદેહો પણ હવસખોરોથી બચી નથી શક્યા. આ જ કારણ છે કે લોકોએ પોતાની દિકરીઓની કબર પર તાળા લગાવવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


પાકિસ્તાનમાં મૃત મહિલાઓ અને યુવતીઓના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને શબ સાથે બળાત્કારના બનાવ વધી રહ્યા છે. હવસખોરોએ માનવતાને શર્મશાર કરી મૂકી છે. મૃતક મહિલાઓના મૃતદેહ પણ સલામત નથી. આ જ કારણ છે કે લોકો પોતાની બહેન દિકરીઓની કબર પર આવી રીતે જાળી લગાવીને તાળા લટકાવી રહ્યા છે. જેથી તેમની ગેરહાજરીમાં મૃતદેહની અસમત જળવાઈ રહે. સોશિયલ મીડિયામાં આવી તસવીરો વાયરલ થઈ રહી છે. 


વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..


પાકિસ્તાનના સામાજિક કાર્યકર અને લેખક હેરિસ સુલ્તાને આવી જ એક તસવીરને ટ્વિટ કરીને આ પ્રકારના અહેવાલોની પુષ્ટી કરી છે. હેરિસે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પાકિસ્તાને એટલો કામુક અને યૌન કુંઠિત સમાજ બનાવી લીધો છે કે હવે લોકો પોતાની દિકરીઓની કબર પર તાળા લગાવી રહ્યા છે, જેથી તેમને દુષ્કર્મીઓથી બચાવી શકાય. તમે જ્યારે બળાત્કારને બુરખા સાથે સાંકળો છો, ત્યારે તે તમને કબર સુધી દોરી જાય છે. 


લગ્નનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી


પાકિસ્તાનમાં આ પ્રકારના કિસ્સા પહેલી વાર સામે નથી આવ્યા, જ્યારે મહિલાઓના શબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય. અગાઉ 2011માં કરાચીમાં કબ્રસ્તાનની દેખરેખ રાખતા એક વ્યક્તિએ કબરમાંથી બહાર કાઢીને 48 મહિલાઓના શબ સાથે બળાત્કાર આચર્યા હોવાની વાત કલૂબી હતી. 


ગુજરાતમાં હવામાનની મોટી આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી!


આ પ્રકારની ઘટનાઓથી પાકિસ્તાનમાં રોષ વ્યાપી ગયો છે. પાકિસ્તાનના એક અખબારે આ પ્રકારની ઘટના ઓ પાછળ નેક્રોફિલિયા નામની માનસિક વિકૃતિને જવાબદાર ગણાવી છે. નેક્રોફિલિયાથી ગ્રસ્ત વ્યક્તિ મૃતદેહ સાથે જાતિય સંબંધ બાંધીને વિકૃત આનંદ માણે છે. જો આવી વ્યક્તિને મૃતદેહ ન મળે તો તે મહિલાની હત્યા કર્યા બાદ પણ વિકૃત હરકતને અંજામ આપે છે. 


ચાર પાટીદાર યુવકો દૂબઈથી સોનું લઈ આવ્યા, શરીરમાં ક્યાં ક્યાં છુપાઈને લાવ્યા એ ન પૂછો


મહિલાઓની સલામતીની બાબતમાં પાકિસ્તાન પહેલાથી જ બદનામ છે. અહી બે કલાકમાં એક મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. લઘુમતિ સમુદાયોની મહિલાઓ સામેની ગુનાખોરીમાં ઉછાળો આવ્યો છે. યુવતીઓના ધર્માંતરણ અને અપહરણ માટે પાકિસ્તાન કુખ્યાત છે. એવામાં હવે તો મહિલાઓના મૃતદેહ પણ સલામત નથી. જે દેખાડે છે કે પાકિસ્તાન કેટલી ઝડપથી પતનના માર્ગે આગળ વધી રહ્યું છે.