ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple) માં પૂજા અર્ચના કરી. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચ્યા. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિપીઠોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ પીએમ મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપારા સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર્રહમાન (Bangabandhu Sheikh Mujibur Rahman) ની સમાધિ પર ગયા. તે આમ કરનાર પહેલાં ભારતીય નેતા છે. પીએમ મોદી આજે બંગબંધુ-બાપૂ મ્યૂઝિયમનું ઉદઘાટન કરશે.  


યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ પીએમ મોદીએ કહ્યું કે ચૈત્ર નવરાત્રિ આવવાની છે. તે પહેલાં માં કાલી શક્તિપીઠમાં શીશ ઝુકાવ્યું. તેમના આર્શિવાદનું સૌભાગ્ય મળ્યું. માંને પ્રાર્થના કરી કે કોરોના સંકટમાંથી મુક્તિ અપાવે. સમગ્ર માનવ જાતિ માટે પાર્થના કરી. મારો પ્રયત્ન રહે છે કે તક મળે તો 51 શક્તિપીઠોમાં શીશ ઝુકાવું. અહીંયા એક કોમ્યુનિટી હોલની જરૂર છે. ડિઝાસ્ટર વખતે આ બધા માટે શેલ્ટર હશે. પૂજા પાઠ માએ પણ ઉપયોગ થશે.

Bangladesh યાત્રાનો બીજો દિવસ: Kali Temple પહોંચ્યા PM મોદી, ઘણા કરાર પર હસ્તાક્ષરની આશા


Museum નું કરશે ઉદઘાટન
પીએમ મોદી આજે યશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાય (Hindu Matua Community) ના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. તમને જણાવી દઇએ કે મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીમાં મતોની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર જશે. તે આમ કરનાર પ્રથમ ભારતીય નેતા છે. ત્યારબાદ પીએમ બંગબંધુ-બાપૂ મ્યુઝિયમનું ઉદઘાટન કરશે. 

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી


Sheikh Hasina સાથે થશે મુલાકાત
પીએમ મોદી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના (Sheikh Hasina) સાથે વાતચીત પણ કરશે. આ દરમિયાન બંનેની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ મોમિનએ પીએમ મોદીના પ્રવાસ પહેલાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઓછામાં ઓછા પાંચ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. શનિવારે સાંજે દિલ્હી પરત ફરતાં પહેલાં પીએમ મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપ્તિ અબ્દુલ હમીદ સાથે પણ મુલાકાત કરશે. 


પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
10:05 AM - યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે પ્રધાનમંત્રી મોદી
11:30-11:50 AM- બંગબંધુની સમાધિ પર માળા અર્પણ કરશે પીએમ 
12:20-13:00 PM - ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શન 
16:00-17:50 PM -  બાંગ્લાદેશના પીએમ સાથે મુલાકાત, કરાર પર હસ્તાક્ષરની આશા 
18:10-18:40 PM - બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
19:10 PM - દિલ્હી પરત થવા માટે રવાના થશે પીએમ મોદી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube