બર્લિનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા પર છે અને શરૂઆત જર્મનીથી થઈ ચુકી છે. જર્મનીમાં ચાન્સલર સાથે મુલાકાત બાદ પીએમ મોદી ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. પરંતુ આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારો પ્રેમ અને આશીર્વાદ મારી તાકાત- પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, તમારામાંથી ઘણા લોકો જર્મનીના અલગ-અલગ શહેરોથી બર્લિન પહોંચ્યા છે. આજે હું ચોકી ગયો છું કે અહીં ઠંડીનો સમય છે. પરંતુ ઘણા નાના બાળકો પણ સવારે 4 કલાકે આવ્યા હતા. તમારો આ પ્રેમ અને આશીર્વાદ માતી ખુબ મોટી તાકાત છે. પીએમ મોદીએ કહ્યુ- હું પહેલા પણ જર્મની આવ્યો છું, તમારામાંથી ઘણઆ લોકો ભારત આવ્યા તો મળવાની તક મળી છે. હું આજે જોઈ રહ્યુ છું કે અમારી નવી પેઢી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. જેના કારણે યુવા જોશ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube