વેકિટન સિટીઃ Pope Francis accepts PM Modi's invitation to visit India: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જી20 શિખર સંમેલનમાં સામેલ થવા ઇટાલીના પ્રવાસ પર ગયા છે. પીએમ મોદી પોતાના ઇટાલી પ્રવાસ પર શનિવારે વેકિટન સિટીમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીની પોપ ફ્રાન્સિસ સાથે આ પ્રથમ બેઠક હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને ભારતની યાત્રા માટે પણ આમંત્રણ આપ્યુ હતું. તેને લઈને વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ છે કે પોપ ફ્રાન્સિસે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર કરી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદી અને કૈથોલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય રક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ તેમની સાથે રહ્યા હતા. પીએમ મોદીના ઇટાલી પ્રવાસ પર વિદેશ મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર પોપ ફ્રાન્સિસ ભારત આવશે. વિદેશ સચિવ હર્ષ ઋૃંગલાએ કહ્યુ- પોપે પ્રધાનમંત્રીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને ત્યાં સુધી કહ્યુ કે, આ મારા માટે કોઈ ભેટથી ઓછુ નથી, હું ભારત જરૂર આવીશ. 


મહત્વનું છે કે આ પહેલા કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કોઈ પોપ સાથે છેલ્લી મુલાકાત વર્ષ 199માં થઈ હતી, જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા અને પોપ જોન પોલ દ્વિતીય ભારત આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે બેઠકનો સમય માત્ર 20 મિનિટ નક્કી હતો, પરંતુ તે એક કલાક ચાલી હતી. પોપ ફ્રાન્સિસે ભારત આવવાના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે, તેવામાં જો તે ભારત આવે છે તો છેલ્લા 22 વર્ષમાં અહીં આવનાર પ્રથમ પોપ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube