બિશ્કેકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે. અહીં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદનું બે દિવસીય આયોજન છે. આજે બીજા દિવસે શિખર પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ નેતાઓના સંબોધનની શરૂઆત થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી આતંકવાદ મુદ્દે બોલતા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની સામે જ બેઠા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, "આતંકવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. આતંકવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ."


[[{"fid":"220152","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આધુનિક સમયમાં કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. વિવિધ દેશોના નાગરિકો વચ્ચે પણ સંપર્ક હોવો અનિવાર્ય છે. ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝમની માહિતી પણ જોવા મળશે."


PM મોદીએ શું કહ્યું? જુઓ વીડિયો


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....