વોશિંગ્ટન: પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરવવા વિરુદ્ધ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અવાજ ઉઠાવવામાં આવશે. 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાનારા આ સત્ર દરમિયાન અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકોનું સંગઠન 'સિંધી ફાઉન્ડેશન' પાકિસ્તાનમાં થઈ રહેલા ધાર્મિક ઉત્પીડન વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતું રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરોપિયન થિંક ટેંકે પણ કાશ્મીર અને કલમ 370 મુદ્દે પાકિસ્તાનને મારી જબરદસ્ત લપડાક, જાણો શું કહ્યું?


સિંધી ફાઉન્ડેશન હવે 26 સપ્ટેમ્બરના રોજ SaveSindhiGirl ના બેનર હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. 26 સપ્ટેમ્બરના રોજ યુએનજીએના સત્રને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંબોધન કરવાના છે. 


સિંધી ફાઉન્ડેશનનો દાવો છે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મોટી સંખ્યામાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનના મામલા સામે આવ્યાં છે. સિંધી ફાઉન્ડેશનનો એવો પણ દાવો છે કે પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 1000 સિંધી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમના જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવે છે. તેમનો ધર્મ બદલવામાં આવે છે. દર મહિને લગભગ 40-60 સિંધી યુવતીઓનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. 


પાકિસ્તાનના ગૃહ મંત્રીએ જ ઈમરાન ખાનની ફજેતી કરી નાખી, કાશ્મીર મુદ્દે જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ


પાકિસ્તાનના માનવાધિકાર આયોગના જણાવ્યાં મુજબ જાન્યુઆરી 2004થી મે 2018 સુધીમાં સિંધી યુવતીઓના અપહરણના 7430 મામલા સામે આવ્યાં છે. આ તો એ આંકડા છે જેમાં કેસ દાખલ થયા છે. અનેક મામલાઓ તો એવા છે જેમાં કેસ દાખલ થયા જ નથી. આવામાં એવો અંદાજો લગાવી શકાય કે સિંધી યુવતીઓના અપહરણ અને તેમના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના મામલે આના કરતા ઘણા વધારે હોઈ શકે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...