નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ 6 ભારતીયોનાં મોત થઇ ગયું છે. હૈદરાબાદનાં રહેનારા ફરહાજ હસન અને મુસા વલી સુલેમાન પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ફરહાજ હસન વ્યવસાયે એન્જિનિયર હતા. ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ગોળીબાર દરમિયાન બંન્ને ઘાયલ થઇ ગયા હતા. મુસાવલી પટેલનાં ભાઇ હાજી અલી પટેલે તેમનાં મોતની પૃષ્ટી કરી છે. આ ઉપરાંત ફરહાઝ હસનનાં પરિવારજનોએ પણ પોતાનાં પરિવારનાં મોભીને ગુમાવ્યાની વાતનો સ્વિકાર કર્યો છે. ફરહાઝ અહેસાનનાં પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢવા માટે ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં 6 ભારતીયોનાં મોત નિપજ્યા છે. મરનારા લોકોમાં 4 ગુજરાતી છે અને 2 હૈદરાબાદનાં છે. કુલ 7 ભારતીયો આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે. જે પૈકી 4 ગુજરાતીઓનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે હૈદરાબાદનાં 3 લોકો પૈકી 2નાં મોત થઇ ચુક્યા છે. 


ગુજરાતનાં મૃતકોનાં નામ
- વડોદરાના પિતા પુત્રનું મોત નિપજ્યું છે. વડોદરાનાં 58 વર્ષનાં આરિફ વ્હોરા અને 27 વર્ષીય રમીઝ વહોરાનું હુમલામાં મોત થઇ ચુક્યું છે. રમીઝ ગત્ત વર્ષથી ક્રાઇસ્ટચર્ચમાં પોતાની પત્ની સાથે રહે છે. જ્યારે તેનાં પિતા હાલમાં જ વડોદરાથી ન્યૂઝીલેન્ડ ગયા હતા. નવસારીનાં જુનેદ યુસુફ કારનું પણ હુમલામાં મોત નિપજ્યું છે. 
- ભરૂચનાં લુનારા ગામનાં રહેનારા હાફીઝ મુસા વલી પણ હુમલામાં ઘાયલ થયા છે. આજે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. તેઓ હજી થોડા સમય પહેલા જ ન્યુઝીલેન્ડમાં રહેવા માટે ગયા હતા.


 


હું ક્યારે પણ ચોકીદાર ચોર છે એવું બોલ્યો નથી: અખિલેશ યાદવ
કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો રજુ, ગવર્નરને લખ્યો પત્ર


હું ક્યારે પણ ચોકીદાર ચોર છે એવું બોલ્યો નથી: અખિલેશ યાદવ


દેહરાદુનમાં વડાપ્રધાન મોદી તરફથી રાહુલ ગાંધીએ માંગી માફી


રેડક્રોસે ગણાવ્યા કેટલાક ગુમ થયેલા લોકોનાં નામ
રેડક્રોસે ન્યુઝીલેન્ડમાં હુમલા બાદથી ગુમ થયેલા કેટલાક ભારતીયો અંગે માહિતી આપી છે. તેમાં આરિફ વોરા, અનસી કરિપ્પાકુલમ અલીબાવા, મહેબુબા ખોખર, મોહમ્મદ ઇમરાન ખાન અને રમીઝનો સમાવેશ થાય છે.