દુબઈ: ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં. જેમાંથી 176 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું. છેલ્લે મળતી માહિતી મુજબ આ વિમાનમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube