નવી દિલ્હી: ભારત-ચીન સીમા પર તણાવ ચાલુ છે. આ તણાવને ઓછો કરવા માટે ઘણી મીટિંગ થઇ ચૂકી છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા પર સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સોમવારે ભારતીય સેનાએ કહ્યું હતું કે ચીની સેનાએ 29 અને 30 ઓગસ્ટ દરમિયાન રાત્રે પૈંગોગ સરોવરના દક્ષિણ તટ પર યથાસ્થિતિમાં એકતરફી રીતે ફેરફાર કરવા માટે 'ઉશ્કેરીજનક સૈન્ય ગતિવિધિઓ' કરી.' અત્યારે વિસ્તારમાં સ્થિતિ સંવેદનશીલ છે. 


ત્યારબાદ મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હયું કે ચીની પીપુલ્સ લિબેરેશન આર્મી (પીએલએ) સોમવારે ફરી એકવાર 'ઉશ્કેરીજનક કાર્યવાહી' કરી. જ્યારે બંને પક્ષોના કમાન્ડર બે દિવસ પહેલાં પૈંગોંગ સરોવરમાં યથાસ્થિતિ બદલવાના ચીની પ્રયત્નો બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યા હતા. 


આ પહેલાં પોમ્પિઓએ કહ્યું હતું કે ચીનના અયોગ્ય વલણ વિરૂદ્ધ આખી દુનિયા એકજુટ થવાનું શરૂ થઇ ગયું છે અને દરેક મોરચે ચીનને પાછળ ધકેલવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશ અમેરિકાની સાથે ભાગીદારી કરી રહ્યા હતા. અમેરિકા વીઝા પાબંધીઓ, પ્રતિબંધો અને અન્ય માધ્યમો વડે ચીન પર દબાણ વધારી રહ્યું છે. જેથી દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના પહેલાંથી જ કડવા સંબંધો અને કડવાશ આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube