કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને 'ઘરની અંદર' રહેવાની સલાહ આપી છે. કિર્ગીસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને સ્થિતિને શાંત ગણાવી છે. દૂતાવાસે કહ્યું કે "અમે આપણા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. સ્થિતિ હાલ શાંત છે પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલ ઘરની અંદર જ રહે અને કોઈ પણ સમસ્યા હોય તો દૂતાવાસનો સંપર્ક કરે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે."


આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને દૂતાવાસ સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર નજર રાખવામાં આવી છે. એવું કહેવાય છે કે સ્થિતિ હવે શાંત છે. વિદ્યાર્થીઓને દૂતાવાસની સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ.  


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube