બીએસએનએલને 12000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન

સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સેવાઓને જ ખાસકરીને જોઇએ તો નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું નુકસાન 12,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ આપી. બીએસએનએલના બોર્ડની બેઠક ફરી 16 એપ્રિલના રોજ થશે, જેમાં રોકાણની અન્ય યોજનાઓની સાથે-સાથે વાર્ષિક પરિણામોના વલણ પર ચર્ચા પણ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 4 એપ્રિલના રોજ થયેલી બેઠકમાં માનવ સંસાધન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ. તેમણે કહ્યુંક એ જો સરકારી પ્રોજેક્ટ દ્વારા થયેલી આવકને ઉમેરી દેવામાં આવે તો પણ નુકસાનમાં સામાન્ય ઘટાડો આવી શકે છે. 
બીએસએનએલને 12000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન

નવી દિલ્હી: સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સેવાઓને જ ખાસકરીને જોઇએ તો નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું નુકસાન 12,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ આપી. બીએસએનએલના બોર્ડની બેઠક ફરી 16 એપ્રિલના રોજ થશે, જેમાં રોકાણની અન્ય યોજનાઓની સાથે-સાથે વાર્ષિક પરિણામોના વલણ પર ચર્ચા પણ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 4 એપ્રિલના રોજ થયેલી બેઠકમાં માનવ સંસાધન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ. તેમણે કહ્યુંક એ જો સરકારી પ્રોજેક્ટ દ્વારા થયેલી આવકને ઉમેરી દેવામાં આવે તો પણ નુકસાનમાં સામાન્ય ઘટાડો આવી શકે છે. 

તેમણે કહ્યું કે કંપનીનું નાણાકીય સંકટ ફેબ્રુઆરીમાં ઉજાગર થયું અને સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ. આ પ્રકારનું નુકસાન વધીને લગભગ 50 ટકા થઇ ગયું છે. બીએસએનએલે છેલ્લા 13 વર્ષોથી નુકસાનમાં છે, પરંતુ નુકસાનના પોતાના આંકડા આપી રહી છે. આંકડા ત્યારે સામે આવ્યા જ્યારે મંત્રીએ સંસદમાં પ્રશ્નોના જવાબ આપ્યા. તે સમયે સુધી કંપનીના નુકસાન અને સંચાલનની સમીક્ષા સાર્વજનિક થઇ ન હતી. નાણાકીય અએન ટેલિકોમ વિશેષજ્ઞોને કંપનીની હાલનું વિશ્લેષણ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા વિશ્વસનીય જાણકારી મળી નથી.

બીએસએનએલે કહ્યું કે આ અસૂચિબદ્ધ કંપની છે, એટલા માટે આંકડા સાર્વજનિક કરવાની અનિવાર્યતા નથી. ટેલિકોમ મંત્રી મનોજ સિન્હાએ ગત વર્ષે ડિસેમ્બરમાં સંસદને જણાવ્યું હતું કે બીએસએનએલનું વાર્ષિક નુકસાન 2017-18માં વધીને 7,992 કરોડ રૂપિયા થઇ ગયું. તે પહેલાં 2016-17માં કંપનીનું નુકસાન 4,786 કરોડ રૂપિયા રહ્યું. વિશ્લેષક જણાવે છે કે ફેબ્રુઆરીમાં બીએસએનએલમાં પગારનો મુદ્દો સામે આવ્યા બાદ તેમના મનમાં કંપનીની વાસ્તવિક નાણાકીય સ્થિતિને લઇને ઘણા પ્રશ્નો ઉદભવ્યા.

ફેબ્રુઆરીમાં પગારનો મુદ્દો ઉજાગર થયા બાદ કોટક ઇક્વિટીઝે કહ્યું કે બીએસએનએલનું કુલ નુકસાના 90,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2008માં છેલ્લે કંપનીને ફાયદો થયો હતો, ત્યારબાદથી કંપનીને 2009 થી માંડીને 2018 સુધી 82,000 કરોડ રૂપિયાનું સંચયી નુકશાન થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news