GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,161 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 67,325 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,161 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 67,325 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 92 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 92 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10942 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા કુલ 13 કેસ નોંધાયા છે જે પૈકી 6 અમદાવાદમાં, આણંદમાં 2, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકોમાં 1097 ને પ્રથમ અને 13400 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 217 અને 2901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9137 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5222 ને રસીનો પ્રથમ જ્યારે 35351 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં આજના દિવસમાં કુલ 67,325 ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,69,38,147 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news