વારંવાર મોબાઈલ પર વાત કરતી પત્ની પર પતિને ગઈ શંકા, ગળે બ્લેડ ફેરવી હત્યા કરી નાખી

અમદાવાદમાં પત્નીના આડા સબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.

વારંવાર મોબાઈલ પર વાત કરતી પત્ની પર પતિને ગઈ શંકા, ગળે બ્લેડ ફેરવી હત્યા કરી નાખી

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં પત્નીના આડા સબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પતિએ કપડાં ધોઇ નાંખ્યા હતા અને પછી પોતાના દિકરાને લઇ માતા પિતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તે જાતે જ ગોમતીપુર પોલીસ સ્ટેશન હાજર થયો અને હત્યાની કબુલાત કરી. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીનું નામ છે સંજય જીવણભાઇ પરમાર છે. સંજય પર આરોપ છે તેણે નિર્દયતાથી પત્ની હત્યા કરી નાખી. હત્યા કરવા પાછળનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માર્ચ મહિનાથી પતિ સંજય અને પત્ની અરૂણા વચ્ચે ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો ચાલતો હતો. એકવાર પત્ની અરૂણા કોઇની સાથે ફોન પર વાત કરતી હતી અને તે બાબતે પતિ સંજયે પુછતા તેણે કોઇની સાથે વાત ન કરતી હોવાનું જણાવ્યું હતું. આવી જ રીતે પતિએ બે વખત પત્ની અરૂણાને અન્ય કોઇ જોડે વાત કરતા પક્ડી હતી અને ત્યારે તેણે ફોન તોડી કાઢ્યો હતો. 27મી એપ્રિલના રોજ પતિએ અરુણાનો સામાન ચેક કરતા તેની પાસેથી બીજો મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારથી બંન્ને વચ્ચે ઝઘડો થતા પત્ની અરૂણા પોતાના પિયર જતી રહી હતી. ગત મંગળવાર પત્ની અરૂણાએ પતિને ફોન કરી ગીતામંદિરથી ઘરે લઇ જવા ફોન કર્યો હતો અને ત્યારબાદ તે ઘરે તેડી લાવ્યો હતો. બંન્ને વચ્ચે ફરી ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલો સંજય રાત્રે અઢી વાગ્યે બ્લેડ લઇ આવ્યો હતો અને અરુણાના ગળા પર બ્લેડ ફેરવી હતી. જેથી અરુણા તડફડીયા મારીને થોડી વાર બાદ મૃત્યુ પામી હતી.

No photo description available.

હત્યા બાદ લોહીવાળા કપડાં પાણીથી સંજયે ધોઇ કાઢ્યા હતા અને બીજા કપડાં પહેરી મકાન બંધ કરી તેના દિકરાને લઇ માતા પિતાના ઘરે શાહવાડી પહોંચી ગયો હતો અને મોડી રાતે પોલીસના શરણે જઇને પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સામે કબુલાત કરી અને પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી. આરોપી પતિ સંજય પરમારને વર્ષ 2009માં અરુણા દંતાણી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ લગ્ર કર્યા હતા. જો કે, લગ્ન બાદ અરૂણાના માતા પિતા નારાજ હોવાથી તેમણે સબંધ તોડી નાખ્યો હતો.  ત્યારબાદ અરુણા, સંજય અને તેમનું એક સંતાન ગોમતીપુર ખાતે રહેતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી હત્યારા પતિને તેની પત્ની અરૂણાના ચારિત્ર્ય પર શંકા જતી હતી. જેથી અવાર નવાર ઝઘડો ચાલતો હતો પરંતુ છેવટે કંટાળીને હત્યા કરી હોવાની પતિએ કબુલાત કરી. 

જુઓ LIVE TV

મોબાઇલ સંપર્ક રહેવા માટેનુ ઉત્તમ સાધન છે પરંતુ આજના આધુનિક યુગમાં આ મોબાઇલ સુખી સંસારને પલીતો ચાપવાનુ કામ કરે છે. આજ રીતે પતિ સંજય અને પત્ની અરૂણાના સુખી દાપત્ય વચ્ચે મોબાઇલ જ શંકાનો કિડો બન્યો,પત્ની વારવાંર મોબાઇલ પર વાત કરતી હોવાને કારણે પતિ સંજયના મનમાં ચારિત્ર્ય પર શંકા ગઇ અને શંકાની આગમાં સળગતા સંજયે પત્ની હત્યા કરી દીધી. સાથો સાથ પોતાના એક દિકરાના ભવિષ્ય ઉપર પણ અંધકાર સર્જી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news