2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર

jupiter transit 2024: જ્યોતિષ ગણનાઓ અનુસાર ગુરૂ વૃષભ રાશિમાં રહીને કેટલીક રાશિવાળા પર વિશેષ કૃપા કરી રહ્યા છે. આ રાશિવાળા માટે વર્ષ 2024 ના અંત સુધીનો સમય શુભ રહેશે. આવો જાણીએ વર્ષ 2024 ના અંત સુધી કઇ રાશિઓ પર રહેશે ગુરૂની કૃપા... 

2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર

guru rashi parivartan 2024: જ્યોતિષમાં દેવગુરુ ગુરુનું વિશેષ સ્થાન છે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વ્યક્તિ ચોક્કસ ભાગ્યશાળી બને છે. દેવગુરુ ગુરુ જ્ઞાન, શિક્ષકો, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરે માટે જવાબદાર ગ્રહ કહેવાય છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ બૃહસ્પતિએ 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2024 માં વૃષભ રાશિમાં જ રહેશે. 

જ્યોતિષ ગણનાઓ અનુસાર ગુરૂ વૃષભ રાશિમાં રહીને કેટલીક રાશિવાળા પર વિશેષ કૃપા કરી રહ્યા છે. આ રાશિવાળા માટે વર્ષ 2024 ના અંત સુધીનો સમય શુભ રહેશે. આવો જાણીએ વર્ષ 2024 ના અંત સુધી કઇ રાશિઓ પર રહેશે ગુરૂની કૃપા... 

મેષ
- નોકરી અને વ્યવસાય માટે આ સમય વરદાનથી ઓછો ન કહી શકાય.
- આર્થિક પાસું મજબૂત રહેશે.
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
- આ સમયે રોકાણ કરવું ફાયદાકારક બની શકે છે.
- ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

વૃષભ
- આત્મવિશ્વાસ વધશે.
- નોકરી અને વ્યવસાયમાં લાભ થશે.
- તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે.
- આર્થિક લાભ થશે, જેનાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે.
- જીવનસાથી સાથે સમય પસાર થશે.

મિથુન
- વેપારમાં લાભ થશે.
- કાર્યસ્થળ પર તમે જે કામ કરશો તેની પ્રશંસા થશે.
- જીવનસાથી સાથે સમય પસાર થશે.
- નોકરીયાત લોકો માટે પણ આ સમય શુભ રહેશે.

સિંહ
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- કાર્યમાં સફળતા મળશે.
- આર્થિક પાસું મજબૂત રહેશે.
- તમને મિત્રોનો સહયોગ મળશે.
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news