Gaya News

મોદીએ ગુનાખોરોને અટકાવવા માટે જોડ્યા હાથ, તેજસ્વીએ કહ્યું પગે પણ પડી જાઓ
ગયામાં પિતૃપક્ષ મેળાના ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પહોંચ્યા હતા. પરંતુ અહી તેમણે કંઇક એવુ નિવેદન આપ્યું ત્યાર બાદ તેઓ રાજનૈતિક વિરોધીઓનાં નિશાન પર આવી ગયો છે. રાજનૈતિક દળ તેમના નિવેદનની નિંદા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશીલ મોદીના પિતૃપક્ષ કાર્યક્રમમાં મંચથી ગુનાઓનો આગ્રહ કરતા કહ્યું હતું, બિહારમાં ગુનાખોરોને આગ્રહ છે કે પિતૃપક્ષના આ 15 દિવસોમાં ધાર્મિક ઉત્સવમાં કોઇ ઘટના ન કરે. આ નિવેદન બાદ બિહારમાં રાજનૈતિક હોબાળો મચેલો છે. આરજેડીનું કહેવું છે કે બિહારમાં સરકારના એવા દિવસો આવી ગયા છે કે બિહારના ઉપમુખ્યમંત્રી ગુનાખોરોને પકડવાના બદલે તેમને ભલામણો કરી રહ્યા છે, અને ગુના નહી કરવા માટેની અપીલ કરી રહ્યા છે. 
Sep 24,2018, 23:48 PM IST

Trending news