મુંબઈ : ટોચની બેંક તરફથી સસ્તી લોન આપવાની નવી જાહેરાત કરવામાં આવી છે. સરકારી ક્ષેત્રની બેંક ઓફ બરોડા (Bank of Baroda)ને અલગઅલગ સમયગાળા માટેની લોનના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી છે. આમાં હોમ લોન (home loan), ઓટો લોન (auto loan) અને પર્સનલ લોન (Personal loan) સસ્તા વ્યાજદરે મળી શકશે. બેંકે marginal cost of funds-based lending rates (MCLR)માં 0.20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ નવા દર 12 ડિસેમ્બર, 2019ના દિવસે અમલમાં મુકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPIથી પેમેન્ટ કરતા હો તો ખાસ વાંચો, નહીંતર વાર નહીં લાગે બેંક એકાઉન્ટ ખાલી થવામાં 


ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ હાલમાં પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજ દર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનાથી સસ્તી લોનમાં આંચકો લાગ્યો છે. આરબીઆઇનું કહેવું છે મોનેટરી પોલિસી કમિટી (MPC)ના તમામ સભ્યો વ્યાજ દરમાં ઘટાડાના પક્ષમાં ન હતા એટલા મટે કોઇ ફેરફાર કરવામાં નથી. 


2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન!


આ પહેલાં સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India)એ MCLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેન્કે MCLR રેટમાં 10 બેઝ પોઇન્ટમાં ઘટાડો કર્યો છે. આ નિયમ 10 સપ્ટેમ્બરથી લાગુ કરાઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી MCLRના દરોમાં પાંચ વખત ઘટાડો આવી ચુક્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...