નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત થનારી ઘરેલું ઉડાનોની સંખ્યાની કોવિડ-19 પૂર્વે 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, બે સપ્ટેમ્બરે કહ્યુ હતું કે, હાલના કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય એરલાઇન્ટ વધુમાં વધુ કોરોના પૂર્વના ઘરેલું યાત્રી ઉડાનોના 60 ટકાનું સંચાલન કરી શકતી હતી. 29 ઓક્ટોબરે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 60 ટકાની મર્યાદા 24 ફેબ્રુઆરી 2021 કે આગામી આદેશ સુધી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે, મંત્રાલય હવે ઘરેલું ઉડાનોની સંખ્યા 60 ટકાથી વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube