નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીના અનુસાર આ દરમિયાન જ્વેલર્સને જૂના સોનાનો સ્ટોક ખતમ પણ કરવો પડશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 26019 જ્વેલર્સને હોલમાર્ક લઇ રાખ્યું છે, જ્યારે દેશભરમાં નાના-મોટા 6 જ્વેલર્સ છે. રામવિલાસ પાસવાને જાણકારી આપી હતી કે દેશના 234 જિલ્લાઓમાં બીઆઇએસ (BIS)ના હોલમાર્કિંગ 877 કેંદ્વ છે. મોટા શહેરોમાં હોલમાર્કિંગ કેન્દ્ર છે, પરંતુ નાના શહેરોમાં નથી. 


રામવિલાસ પાસવાને જણાવ્યું કે આ નિર્ણય ગ્રાહકો અને જ્વેલર્સના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોલમાર્ક લોકોને ભેળસેળથી બચાવે છે અને સુનિશ્વિત કરે છે કે ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળા ખરીદવામાં છેતરપિંડી ન થાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube