Porinju Veliyath portfolio: દિગ્ગજ ઈન્વેસ્ટર પોરિન્જુ વેલિયાથના પોર્ટફોલિયોમાં ઘણા એવા સ્ટોક છે જેણે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો એક સ્ટોક કેરલ આયુર્વેદ છે. આ સ્મોલ-કેપ મલ્ટીબેગર સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 200 ટકાથી વધુ અને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 325 ટકાનું રિટર્ન આપ્યું છે. તાજેતરમાં આ સ્ટોક પર પોરિન્જુ વેલિયાથે પોતાનો દાવ વધાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

87 લાખથી વધુ શેર ખરીદ્યા
કેરલ આયુર્વેદની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર માર્ચ 2024 ક્વાર્ટર દરમિયાન પોરિન્જુ વેલિયાથે સ્મોલ-કેપ કંપનીમાં પોતાની ભાગીદારી 4.82 ટકા વધારી 5.18 ટકા કરી દીધી છે. તેનો મતલબ છે કે તેણે પોર્ટફોલિયોમાં કંપનીના 0.36 ટકા એડિશનલ શેર જોડી ફાર્મા કંપનીમાં ભાગીદારી વધારી છે. શેરના હિસાબથી જુઓ તો કેરલ આયુર્વેદ 6.23 લાખ કંપની શેર છે. 31 ડિસેમ્બર 2023 સુધી પોરિન્જુ વેલિયાથની પાસે કંપનીના 5.36 લાખ શેર હતા. આ રીતે માર્ચ ક્વાર્ટરમાં કેરલ આયુર્વેદ લિમિટેડના 87 લાખથી વધુ શેર ખરીદવામાં આવ્યા. શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર પાસે 58.58 ટકા ભાગીદારી છે. તો 41.42 ટકા ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર પાસે છે.


આ પણ વાંચોઃ SIP ન કરવી હોય  તો Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, પાંચ વર્ષમાં થઈ જશે મોટી બચત


₹65 થી ₹276 સુધીની સફર
એક વર્ષના ગાળામાં કેરલ આયુર્વેદના શેરની કિંમત લગભગ ₹91 થી વધી 276 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં 200 ટકાથી વધુની તેજી જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેરલ આયુર્વેદના શેરની કિંમત લગભગ 65 રૂપિયાથી વધી 276 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગઈ છે. કંપનીએ આ દરમિયાન શેરધારકોને 325 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ  ₹329.75 છે, જ્યારે તેનું 52 સપ્તાહનું લો લેવલ 89 રૂપિયા છે.