Post Office Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલ રોકાણને સુરક્ષાની સાથે સાથે વધુ સારા વળતરની ગેરંટી માનવામાં આવે છે. રિટર્નની બાબતમાં પોસ્ટ ઓફિસની સ્કીમ બેંકો કરતા ઘણી આગળ છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે અને તે 8 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ આપે છે. જો આપણે તેની તુલના બેંકોની એફડી  (FD) સાથે કરીએ તો તે બેંકોની એફડી  (FD) કરતા પણ વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં 'પૈસાનું ઝાડ' ઝમાઝમ કરે છે ધનવર્ષા, મની પ્લાન્ટને પણ આપે છે જોરદાર ટક્કર!
Virat Kohli એ રચ્યો ઇતિહાસ, વનડેમાં આવું કરનાર બન્યા દુનિયાના ચોથા ખેલાડી


રોકાણ પર મળે છે સારું વળતર
આ સ્કીમનો મુખ્ય ફાયદો એ છે કે તે વરિષ્ઠ નાગરિકોને સલામત અને નફાકારક રોકાણ વિકલ્પ પૂરો પાડે છે. આમાં રોકાણ પરનું વળતર સ્થિર અને આકર્ષક વ્યાજ છે. આમાં વરિષ્ઠ નાગરિકો સુરક્ષિત રીતે તેમની બચતનું રોકાણ કરી શકે છે અને સારું વળતર મેળવી શકે છે. તેનાથી તેમની આર્થિક સુરક્ષા વધે છે. આમાં રોકાણ માટે વિશેષ જોગવાઈ છે.


આ દેશોમાં નોકરી લાગી તો 5 પેઢી તરી જશે, ડોલરથી પણ વધારે કમાશો રૂપિયા
ફક્ત 10 રૂપિયામાં મોતીની માફક ચમકશે દાંત, ગાયબ થઇ જશે પીળાશ, જાણો કેવી રીતે


શરૂ કરો 1,000 રૂપિયાથી રોકાણ
આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) છે. જેમાં રોકાણ પર 8 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજના નિયમિત આવક અને કર મુક્તિના સંદર્ભમાં પણ સારી છે. આમાં ખાતું ખોલાવીને, તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.


તમે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો
નિવૃત્તિ પછી, પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ અથવા પતિ/પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office Senior Citizen Scheme) માં પાંચ વર્ષ માટે રોકાણની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે સમય પહેલા ખાતુ બંધ કરો છો તો નિયમ મુજબ દંડ ભરવો પડશે.


આ કેસોમાં મળે છે છૂટ
જો કોઈ વ્યક્તિ VRS લે છે તો તે વ્યક્તિ 60 વર્ષની ઉંમર પહેલા પણ ખાતું ખોલાવી શકે છે. ડિફેંસમાંથી નિવૃત કર્મચારીઓ પાસે 50 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પાસે રોકાણ કરવાનો વિકલ્પ છે. જો કે આ માટે કેટલીક શરતો મુકવામાં આવી છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.


પેટ ભરીને ભોજન કરો અને વજન પણ ઘટાડો, આ શોધ બાદ થઇ જશો પતળા!
Insurance લેતી વખતે Rider નું પણ રાખો ધ્યાન, લોકો મળી જાય છે આ ફાયદા


બેંક વ્યાજ
તમને જણાવી દઈએ કે દેશની વિવિધ બેંકો વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની FD પર 7 થી 7.75 ટકા વ્યાજ આપી રહી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષની FD પર 7.50 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે, ICICI Bank 7.50 ટકા, PNB 7 ટકા અને HDFC Bank 7.50 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે.


દિવસમાં કેટલી વાર ફ્રીજ Off કરવું જોઈએ? જો તમે અત્યાર સુધી ભૂલો કરતા હતા તો જાણી લો
Aliya Riaz: પાકિસ્તાનની 'લેડી ધોની', વિનિંગ સિક્સ ફટકારી મેચ જીતાડવામાં છે માહિર


ટેક્સમાં છૂટનો લાભ
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ખાતાધારકને ટેક્સમાં છૂટનો લાભ (Tax Benefits) પણ મળે છે. SCSSમાં રોકાણ કરનાર વ્યક્તિને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કર મુક્તિ આપવામાં આવે છે. આ યોજનામાં દર ત્રણ મહિને વ્યાજની રકમ ચૂકવવાની જોગવાઈ છે. આ વ્યાજ દર એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. જો ખાતાધારક પાકતી મુદત પૂરી થયા પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી દેવામાં આવે છે અને દસ્તાવેજોમાં ઉલ્લેખિત નોમિનીને સંપૂર્ણ રકમ સોંપવામાં આવે છે.


Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
સમાચાર પત્રોના નીચે કેમ હોય છે આ ચાર અલગ-અલગ કલર? જાણવું છે જરૂરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube