નવી દિલ્હી: તહેવારની સીઝનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની Monetary Policy Committee (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત થઈ ગઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠકના પરિણામો અંગે જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીના નામે આ રીતે ખાતું ખોલાવો, દર મહિને થશે '44,793' રૂપિયાની કમાણી!


રેપો રેટ 4 ટકા યથાવત
આ દરમિયાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ એ કે રેપો રેટ ચાર ટકા યથાવત છે. અત્રે જણાવવાનું કે તહેવારોની સીઝનમાં એવી આશા વ્યક્ત કરાઈ હતી કે આરબીઆઈ ડિમાન્ડ વધારવા માટે રેપો રેટ પર કાતર ફેરવી શકે છે. જો કે એવું કઈ થયું નથી. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ મહિનામાં આરબીઆઈની Monetary Policy Committee (MPC)ની બેઠકમાં પણ રેપો રેટ પર કોઈ ફેરફાર કરાયો નહતો. જો કે આરબીઆઈ આ અગાઉ ગત બે બેઠકોમાં રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. હાલ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. 


વેપારીઓને મોટી રાહત, હવે દર મહિને નહીં ભરવું પડે GST રિટર્ન, ખાસ જાણો વિગતો


આરબીઆઈના ગવર્નરે કહ્યું કે આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવમાં આવી જશે. તેમણે કહ્યું કે તમામ સેક્ટરોમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે કોવિડને રોકવા કરતા ફોકસ રિવાઈવલ પર વધુ છે. તેમણે જીડીપી ગ્રોથ અંદાજે નિગેટિવમાં 9.5 ટકા રાખ્યો છે. જ્યારે નાના કરજદારો માટે 7.5 કરોડ રૂપિયાના કરજની મંજૂરી આપી છે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube