મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 1.5 ટકાનો ઘટાડો આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગુરૂવારે જાહેર થયેલા એક સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર


રિઝર્વ બેંકના ગ્રાહક વિશ્વાસ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 'મે 2020માં ગ્રાહકોનો વિશ્વાસ તૂટી ગયો છે, હાલની સ્થિતિ ઇંડેક્સ (સીએસઆઇ) પોતાના ઐતિહાસિક નીચલા સ્તર પર આવી ગયો છે. આ ઉપરાંત એક વર્ષ આગળનું ભવિષ્ય સંભાવનાઓ ઇંડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે અને આ નિરાશાવાદના ક્ષેત્રમાં પહોંચી ચૂક્યો છે. 

SBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ


રિઝર્વ બેંક દ્વારા પ્રાયોજિત પ્રોફેશનલ ફોરકાસ્ટર્સ (એસપીએફ)ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીડીપીમાં 2020-21માં 1.5 ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષમાં વધારાની રાહત પર પરત ફરશે અને તેમાં 7.2 ટકાનો વધારો નોંધાશે. 

PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે


સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક વ્યક્તિગત અંતિમ વપરાશ ખર્ચ (પીએફસીઇ)માં ચાલૂ નાણાકીય વર્ષમાં 0.5 ટકાનો ઘટાડો આવશે. આગામી નાણાકીય વર્ષમાં તેમાં 6.9 ટકાના વધારાની આશા છે. 


સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીએફસીએફમાં 2020-21માં 6.4 ટકાનો ઘટાડો આવશે. જોકે નાણાકીય વર્ષ 2021-22માં તેમાં 5.6 ટકાનો વધારો નોંધાશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube