2000 Note: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હાલમાં 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. આ સાથે લોકો 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં બે હજાર રૂપિયાની નોટો જમા કરી શકે છે કે પછી ત્યાં બદલાવી શકે છે. તો બે હજાર રૂપિયાની નોટને પરત લેવાથી એસબીઆઈ તરફથી ફાયદાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટને પરત લેવી દેશની બેન્કિંગ સિસ્ટમ માટે ફાયદાકારક રહેશે. આ સાથે એસબીઆઈની સ્ટડીમાં ઘણી વાત જણાવવામાં આવી છે. આવો જાણીએ તે વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન રિપેમેન્ટમાં વધારો
એસબીઆઈ સ્ટડી પ્રમાણે 2000 રૂપિયાની નોટ બંધ થવાથી લોનના રિપેમેન્ટમાં વધારો થઈ શકે છે કારણ કે 2000 રૂપિયાની નોટ બંધ થવાથી ડિપોઝિટ વધવાની આશા છે. તેનાથી અલગ-અલગ લોન ધારક બેન્કમાં લોનનું રિપેમેન્ટ કરી શકે છે. 


લોન આપશે બેન્ક
2000 રૂપિયાની નોટ જેમ-જેમ બેન્કોની પાસે આવતી જશે, તેમ-તેમ બેન્કોની પાસે રોકડ વધતી જશે. વધેલી રોકડનો ઉપયોગ બેન્ક લોન આપવા માટે કરી શકે છે. તેવામાં બેન્ક પાસે લોન આપવા માટે એક મોટી તક છે. 


આ પણ વાંચોઃ ₹6.65 થી ઓલટાઈમ હાઈ ₹423.90 પર પહોંચી ગયો આ શેર, 1 લાખના ત્રણ વર્ષમાં બની ગયા 66 લાખ


કેશ ઓન ડિલીવરીમાં વધારો
2000 રૂપિયાની નોટને ચલાવવા માટે લોકો કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ ખુબ પસંદ કરી રહ્યાં છે. તેનાથી દેશમાં રોકડનો પ્રવાહ વધી રહ્યો છે. લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ પસંદ કરી 2000 રૂપિયાની નોટથી પેમેન્ટ કરી રહ્યાં છે. તેનાથી કેશ ઓન ડિલીવરીમાં પણ તેજી આવી છે.


જીડીપીને ફાયદો
એસબીઆઈના રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટને બંધ કરવાથી જીડીપીને ફાયદો મળી શકે છે. 2000 રૂપિયાની નોટ બંધ કરવાને લીધે વપરાશમાં અચાનક તેજી જોવા મળી છે, જેની અસર જીડીપી પર પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube