OMG...એશ્વર્યાએ પતિ અભિષેકને `આ અભિનેત્રી સાથે કામ કરવાની ના પાડી, જાણો કારણ
લાંબા સમયથી અભિષેક બચ્ચનને કામ મળતું નહતું. તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2016માં હાઉસફૂલ 3 આવી હતી. આવી મલ્ટીસ્ટારર ફિલ્મો કરવાથી તેની કેરિયર પર કોઈ ખાસ ફરક પડતો નહતો.
મુંબઈ: લાંબા સમયથી અભિષેક બચ્ચનને કામ મળતું નહતું. તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2016માં હાઉસફૂલ 3 આવી હતી. આવી મલ્ટીસ્ટારર ફિલ્મો કરવાથી તેની કેરિયર પર કોઈ ખાસ ફરક પડતો નહતો. હાલ અભિષેક અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્ઝિયા'નું શુટિંગ કરી રહ્યો છે.
આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. ફિલ્મમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ છે. આ ઉપરાંત મેકલ શોનાલી બોસે અભિષેકને પ્રિયંકા ચોપરા સાથે પણ એક ફિલ્મ ઓફર કરી છે. આ ફિલ્મ દિલ્હી બેઝ્ડ મોટિવેશ્નલ સ્પીકર આયેશા ચૌધરીના જીવન પર આધારિત છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ એશ્વર્યા નથી ઈચ્છતી કે અભિષેક આ ફિલ્મ કરે. તેનું માનવું છે કે અભિષેકે મનમર્ઝિયા જેવી ફિલ્મો કરવી જોઈએ. જેમાં તેને એક અભિનેતા તરીકે ખુબ સ્કોપ મળે. આયેશા ચૌધરીનું જીવન ખુબ જ પ્રેરણા આપનારું છે. તે નાની ઉંમરે મૃત્યુ પામી હતી.
ફિલ્મમાં આયેશાનું પાત્ર ભજવવા માટે દંગલ ગર્લ ઝાયરા વસીમને એપ્રોચ કરવામાં આવી છે. ફિલ્મમાં તેના માતા પિતાના પાત્ર માટે અભિષેક અને પ્રિયંકાને એપ્રોચ કરાયા છે. એશ્વર્યાનું માનવું છે કે ફિલ્મમાં બધુ ફોકસ ઝાયરા વસીમ પર રહેશે. અભિષેકે મનમર્ઝિયા જેવી ફિલ્મ કરવી જોઈએ જેમાં એક અભિનેતા તરીકે કરી બતાવવા માટે ઘણુ બધુ હોય.