નવી દિલ્હી: બોલીવુડના જાણિતા સિંગર અને મ્યુઝિક કંપોઝર વાજિદ ખાન (Wajid Khan)નું નિધન થયું છે. ગત રાત્રી 42 વર્ષીય મ્યૂઝિક ડાયરેક્ટરરે અંતિમ શ્વાસ લીધો હતો. તેના નિધનથી બોલીવુડમાં શોક છવાયો છે. જ્યાં થોડા સમય પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને વાજિદને લઈને ટ્વિટ કર્યું છે કે, હવે અક્ષય કુમારે (Akshay Kumar) વાજિદને યાદ કરતા ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચ:- રણબીર કપૂર સાથે દીપિકાએ શેર કર્યો ફોટો, Ranveer Singhએ કરી કોમેન્ટ


પોસ્ટમાં અક્ષય કુમારે (Akshay Kumar) સિંગરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમના ટ્વિટમાં અક્ષય કુમારે તેના પરિવાર માટે પ્રાર્થના પણ કરી છે. અક્ષય કુમારે વાજિદ સાથે રાઉડી રાઠોરમાં કામ કર્યું છે. જેનું સોન્ગ ચિંતા તા ચિતા ચિતા જે ઘણું હિટ થયું હતું.


મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું મોડી રાત્રે નિધન, બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું


આ ઉપરાંત વરૂણ ધવનને પણ વાજિદ ખાનના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પણ પોસ્ટ કરતા તેમને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. તમને જણાવી દઇએ કે, વાજિદ ખાનના નિધનનું કારણ તેમને કિડનીની સમસ્યા જણાવવામાં આવી રહી છે. જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube