મુંબઇ: 'અતરંગી રે' બાદ ફરી એકવારથી ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મળીને તેમની નવી ફિલ્મ રક્ષાબંધન (Raksha bandhan)ની જાહેરાત કરી છે. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ક્રીન રાઇટર હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવશે. જેમણે આ પહેલા ઝીરો, તનુ વેડ્સ મનુની ફ્રેન્ચાઈઝી અને રાંઝણા જેવી ફિલ્મો લખી છે. આજે રક્ષાબંધનના ખાસ સમય પર અક્ષય કુમારની આ ફિલ્મની જાહેરાત થઇ છે. સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થયું છે. ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટ દર્શાવી રહી છે કે, આ એક પારિવારિક ડ્રામા ફિલ્મ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: 14 જૂને આખરે શું ખયું હતુ?... એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કર્યો ચોંકાવનારો ખુલાસો


આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે અક્ષય કુમારની સાથે તેમના પ્રથમ પ્રોજેક્ટ અતરંગી રેની જાહેરાત કરી હતી. જેમાં દક્ષિણના સુપરસ્ટાર ધનુષ અને સારા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે તે જોવાનું ઘણું રોમાંચક હશે કે નિર્માતા આનંદ એલ રાય અને અક્ષય કુમારની આ જોડી, રક્ષાબંધન સિને પ્રેમિયો માટે શું ધમાકા લઇને આવી છે.


આ પણ વાંચો:- આત્મહત્યા પહેલા સુશાંતે ગૂગલ પર પોતાના નામ ઉપરાંત આ 3 વસ્તુ કરી હતી સર્ચ...જાણીને ચોંકશો


આ યોજનાને લઇને ઉત્સાહિત, નિર્માતા આનંદ એલ રાયે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે, અક્ષય ખુબજ પ્રતિભાશાળી અભિનેતા છે અને હું રક્ષાબંધન માટે ફરી એકવાર તેમની સાથે મળીને કામ કરવા માટે વધારે ઉત્સાહી છું. આ ફિલ્મની સ્ટોરી ઘણી વિશેષ છે જે સંબંધોને સુંદર રીતે દર્શાવે છે.


સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, ભડકેલી બિહાર પોલીસે કહ્યું-તપાસ રોકવા માટે જાણી જોઈને લીધુ પગલું


ફિલ્મ રક્ષાબંધનને અલ્કા ભાટિયા અને આનંદ એલ રાય દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મ આગામી વર્ષ 5 નવેમ્બર 2021ના રોજ દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષથી શરૂ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube