મુંબઈ: અલ્લુ અર્જુનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શું તમે જાણો કે અલ્લુ અર્જુને એક તમાકુની એડ કરવાનો ઈનકાર કરી દીધો. સૌથી ખાસ વાત એ રહી કે અલ્લુને આ એડ માટે મસમોટી ફી પણ ઓફર કરવામાં આવી હતી. તેમ છતાં પુષ્પરાજે એડ કરવાની ચોખ્ખા શબ્દોમાં ના કહી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુષ્પા ફિલ્મથી કરોડો લોકોનું દિલ જીતનારો એક્ટર અલ્લુ અર્જુન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે કોઈ ફિલ્મના કારણે નહીં પરંતુ તેણે કરેલાં કામના કારણે ચર્ચામાં છે. આમ તો આ સમાચાર વાંચીને તમારું મન પણ પોતાના ફેવરિટ એક્ટર પર ગર્વનો અહેસાસ કરાવશે. ત્યારે એવું તે શું થયું કે અલ્લુ અર્જુનના ચોતરફ વખાણ જ વખાણ થઈ રહ્યા છે.


અલ્લુ અર્જુને કર્યું એવું કામ, ફેન્સ પણ થાકતાં નથી:
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું. 500 કરોડથી વધારેની કમાણી કરી. જેના કારણે તેની ફિલ્મના સ્ટારને પણ જાહેરખબર મળે તે સ્વાભાવિક છે. હાલમાં જ એક તમાકુ બ્રાન્ડની ટીવી કમર્શિયલ ઓફર કરવામાં આવી હતી. આ એડ માટે અલ્લુ અર્જુનને મસમોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ સાઉથના સુપરસ્ટારે આ કમર્શિયલને સાઈન કરવાનો ઈનકાર કરી દીધો. સૂત્રોનું કહેવું છે કે એક્ટર ટીવી કમર્શિયલને ઘણી જવાબદારીની સાથે સાઈન કરે છે. તે કોઈપણ રીતે પોતાના ફેન્સને મિસગાઈડ કરવા માગતો નથી.


કેમ તમાકુની એડ કરવાનો ઈનકાર કર્યો:
અલ્લુ અર્જુને તમાકુ બ્રાન્ડની જાહેરખબરને કોઈપણ જાતના વિચાર કર્યા વિના રિજેક્ટ કરી દીધી હતી. અલ્લુ અર્જુન પર્સનલી તમાકુનું સેવન કરતા નથી. આથી તે ઈચ્છતો નથી કે તેના ફેન્સ તેનાથી પ્રેરાઈને તમાકુનું સેવન કરવા લાગે. અલ્લુ અર્જુન લોકોની વચ્ચે સારી આદતોને એન્ડોર્સ કરે છે. વૃક્ષ-છોડ લગાવવા, ઈકો ફ્રેન્ડલી પ્રેક્ટિસને સમર્થનવાળા અલ્લુ માટે તમાકુની એડ કરવી બહુ મોટી વાત હતી. પરંતુ આ તેના નિયમોની વિરુદ્ધ હતું.


એક્ટરના નિર્ણયથી ફેન્સ ખુશખુશાલ થઈ ગયા:
અલ્લુ અર્જુનના તમાકુની એડ ન કરવાના નિર્ણયની વાત જ્યારે ફેન્સને ખબર પડી ત્યારે બધા તેના વખાણ કરવા લાગ્યા. લોકો એક્ટરની પ્રશંસા કરતા થાકતા નથી. અલ્લુ અર્જુનની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. આ મૂવીએ હિંદી બેલ્ટમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ફેન્સને હવે પુષ્પા સેકંડ પાર્ટનો ઈંતઝાર છે. પુષ્પા પછી સાઉથ સુપરસ્ટારની બીજી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.