મુંબઈઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે બિગ બીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, અને બે-ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચન આ સમયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અફવા હતી કે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ બે-ત્રણ દિવસમાં બિગ બી ઘરે પરત ફરી શકે છે. પરંતુ બિગ બીએ ટ્વીટ કરીને લખ્યુ- આ ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે. 


ભારતના દુશ્મનોને ગળે લગાડી રહ્યાં છે બોલિવુડ સ્ટાર્સ, આ તસવીરથી થયો મોટો ખુલાસો

અમિતાભ બચ્ચન સતત ટ્વીટરની મદદથી પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે અને દુવા કરવા માટે તેમનો આભાર માની રહ્યાં છે. ફેન્સ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર જલદી સાજા થાય તે માટે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube