નવી દિલ્હીઃ ટીવી જગતના બહુચર્ચિત શો અનુપમા  (Anupamaa) માં આ દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. અનુપમા હોસ્પિટલમાં દાખલ છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ વચ્ચે ડો. અદ્વૈતે શોને અલવિદા કહી દીધુ છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. અદ્વૈતે છોડ્યો શો
અનુપમા  (Anupamaa) માં જબરદસ્ત ટ્વિટ્સને લઈને એન્ટ્રી કરનાર ડોક્ટર અદ્વૈત ખન્નાએ શોને અલવિદા કહ્યુ છે. ડો. અદ્વૈતના રૂપમાં અપૂર્વ અગ્નિહોત્રી (Apurva Agnihotri) એ દમદાર કામ કર્યુ. શો છોડ્યા બાદ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે શોના પ્રોડ્યૂસર રંજન શાહીની સાથે જોવા મળી રહી છે. આ ઇમોશનલ પોસ્ટમાં તેમણે સંપૂર્ણ જાણકારી આપી છે. 


મહાભારત સીરિયલમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકા કોણ ભજવશે તે કઈ રીતે નક્કી થયું? જાણો રોચક કહાની


અનુપમાના ડોક્ટરની નિભાવી હતી ભૂમિકા
તેમણે લખ્યું- હું અદ્વૈત માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. તમને જણાવી દઈએ કે અપૂર્વ અગ્નિહોત્રીએ અનુપમામાં ડોક્ટર અદ્વૈત ખન્ના બનીને ત્યારે એન્ટ્રી કરી હતી જ્યારે શોડની મુખ્ય અનુપમા એટલે કે અભિનેત્રા રુપાલિ ગાંગુલીની ભૂમિકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. પરંતુ ખુબ ઓછા સમયે અપૂર્વએ શોને બાય-બાય કહી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube