Taarak Mehta ka Ooltah Chasmah: ટીવીના પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સૌથી વધારે ચર્ચા એટલા માટે થાય છે કે આ શોના વર્ષો જૂના કલાકાર હવે સૌને અલવિદા કહી રહ્યા છે. તેમની જગ્યાએ શોમાં નવા કલાકારો ની એન્ટ્રી થાય છે. આ વાતને લઈને શોના મેકર્સ ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ શોમાં અત્યાર સુધીમાં અંજલી મહેતા, તારક મહેતા, ટપુ, સોઢી સહિતના કલાકારો બદલી ચૂક્યા છે. એક પછી એક કલાકારો શોને છોડી રહ્યા છે છતાં પણ ફેન્સને હજુ પણ આશા છે કે દયાબેન એટલે કે દિશા વાકાણીની એન્ટ્રી શોમાં થશે. દિશા વાકાણી એ તેના લગ્ન પછી મેટરનીટી લીવ માટે શો છોડ્યો હતો. પરંતુ આજ સુધી દેશોમાં પરત ફરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ


70 કરોડના અપાર્ટમેંટ સહિત Kiara-Sidharth એ આ વસ્તુઓ પર કર્યો છે કરોડોનો ખર્ચ


Malaika Arora એ કાતિલ અદાઓથી કર્યા ફેન્સને ઘાયલ, ટાઈટ વ્હાઈટ ગાઉનમાં શેર કર્યા Photo



દિશા વાકાણી એટલે કે દયાબેનની એન્ટ્રી શોમાં ક્યારે થશે તે વાતને લઈને ઘણી વખત પ્રોડ્યુસર અસિત મોદીને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં જ આ પ્રશ્નનો જવાબ તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી દીધો છે. શોમા તાજેતરમાં જ નવા ટપુની એન્ટ્રી થઈ છે. ટપુ તરીકે હવે શોમાં નીતિશ ભુલાણી જોવા મળશે. જ્યારે ટપુને ઇન્ટ્રોડ્યુસ કરવાનો હતો ત્યારે એક પ્રશ્નના જવાબમાં તેમણે દિશા વાકાણી ની એન્ટ્રી વિશે મોટો ખુલાસો કર્યો છે. 


અસીત મોદીએ જણાવ્યું હતું કે, "આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે, અમારી ઈચ્છા હતી કે શોમાં દયાભાભી તરીકે દિશા વાકાણી જ પરત આવે. પરંતુ દિશા વાકાણી હાલ પોતાની પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત છે અને પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહી છે. અમારી ઈચ્છા આજે પણ છે કે તે શોમાં પરત ફરે પરંતુ હાલની સ્થિતિમાં તે શોમાં પરત ફરે તેવું થાય તે મુશ્કેલ લાગે છે."