મુંબઈ : સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી ગયા વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાના ફેન્સ આતુરતાથી તેની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે. એક ચર્ચા પ્રમાણે હવે આ શોમાં દિશા પરત નથી ફરવાની. જોકે હાલમાં દિશાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર આ તમામ ચર્ચાઓનો અંત લાવતું નિવેદન મુક્યું છે. 


ઇન્સ્ટાગ્રામમાં દિશાએ ‘દયાબેન’ના ગેટઅપમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. દિશાએ લખ્યું કે, “દરેક વ્યક્તિ મને શોમાં પાછા ફરવાનું કહી રહ્યું છે. ખાસ કરીને તમે લોકો. હું શોમાં પાછી આવવા માટે ઉત્સુક છું પરંતુ અત્યારે પરિસ્થિતિ મારા હાથમાં નથી. મને સપોર્ટ કરવા માટે આભાર. મને આ રીતે જ પ્રેમ આપતા રહો અને જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’.”


મનોરંજન જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...