નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi) પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એવામાં પીએમ મોદીના જન્મ દિવસ (PM Modi Birthday) પર નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhanali) પણ એક સ્પેશિયલ ગિફ્ટ આપવા જઇ રહ્યા છે. જોકે ભણસાલી વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi) ને લઇને એક સ્પેશિયલ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેનો ફસ્ટ લૂક તેમના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટાઇટલ હશે 'મન બૈરાગી'(Mann Bairagi).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નંબર ગેમ: 69 વર્ષના થયા PM નરેન્દ્ર મોદી, તે તરીખો જે રહી ખૂબ મહત્વની...


'મન બૈરાગી' લગભગ 1 કલાકની હશે અને આ ફિલ્મને ભણસાલી અને મહાવીર જૈન પ્રોડ્યૂઝ કરી રહ્યા છે. જ્યારે તેને સંજય ત્રિપાઠીએ લખી છે. પીએમ મોદીની આ ફિલ્મનું પોસ્ટર હિંદી સિનેમાના બાહુબલી એટલે કે એક્ટર પ્રભાસ લોન્ચ કરવા જઇ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટરમાં મે ‘મન બૈરાગી’ની સાથે ટેગ લાઇન આપી છે. ‘જ્યારે હું મને મળ્યો.’ ફિલ્મ વિશે સંજય લીલા ભણસાલીનું કહેવું છે, મને આ કહાનીની સૌથી રસપ્રદ વાત તેની યૂનિવર્સલ અપીલ અને સંદેશ લાગ્યો. મને લાગે છે કે આ એક એવી વણકહેલી કહાની છે, જેને બતાવવી જોઇએ. 


PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના


તમને યાદ અપાવી દઇએ કે આ પહેલાં એક્ટર વિવેક ઓબેરોય પણ પીએમ મોદીની બાયોપિક બનાવીને આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરી ચૂક્યા છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે, જ્યારે એસ સંજય ત્રિપાઠી તેનું નિર્દેશન કરશે. જાણકારી અનુસાર આ ફિલ્મમાં પીએમ મોદીના જીવનનો તે ભાગ બતાવવામાં આવશે જે હજુ સુધી કોઇને ખબર નથી.


જુઓ Live TV:- 


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...